અબૂબક્ર હુઝૂર (સ.અ.વ.)ના મિત્ર છે
May 10, 2024હઝરત અબૂબક્ર (ર.અ.) સાથે પ્રેમ અને દુશ્મનીનું પરિણામ
May 10, 2024હઝરત અબૂબક્ર (ર.અ.)નો મહિમા બયાન કરતાં હઝરત પીર મશાઇખરહ લખે છે કે “મિશ્કાતુલ મસાબીહમાં લખ્યું છે કે એક વખત હઝરત અબૂબક્ર (ર.અ.) હઝરત અલી (ર.અ.)ને જોઈને સ્મિત કર્યું, જ્યારે હઝરત અલી (ર.અ.)એ કારણ પૂછ્યું તો હઝરત અબૂબક્ર (ર.અ.)એ જવાબ આપ્યો કે મેં નબી (સ.અ.વ.)થી આ હદીષ સાંભળી છે કે કોઈ માણસ હઝરત અલીની અનુમતિ વગર પુલસિરાત પાર કરી શકશે નહીં તો હઝરત અલી મુર્તઝા (ર.અ.)એ પણ સ્મિત કર્યું અને કહ્યું કે આપના માટે પણ ખુશખબર છે કે મને એક વખત નબી (સ.અ.વ.)એ ફરમાવ્યું કે અબૂબક્રના દોસ્તોને પુલસિરાત પરથી પસાર થવાની અનુમતિ આપી દેજો અને તેમના દુશ્મનોને મત આપજો.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૨૬/૯૫૦)


“રાફઝી! હવે જવાબ આપો શો જવાબ આપશો? શાં બહાનાં કાઢશો? સિદ્દીક (ર.અ.) હઝરત અલી (ર.અ.)ની પ્રશંસા કરે છે અને તેમના વિશે હદીષ પઢીને સંભળાવે છે, આ પ્રમાણે પ્રેમ (જાહેર) કરે છે હઝરત અલી (ર.અ.)એ પણ પ્રત્યુત્તર (જવાબ)માં નબી (સ.અ.વ.)ની હદીષ સંભળાવી, આ કોઈ છૂપી વાત નથી, જો સિદ્દીક સાથે પ્રેમ નથી તો પુલસિરાત પરથી કેવી રીતે પસાર થશો? જે પ્રમાણે નબીએ ફરમાવ્યું તે મુજબ હઝરત અલીએ સાંભળીને બતાવ્યું, રાફઝી! તમે અબૂબક્રના દુશ્મન છો તો હઝરત અલીની અનુમતિ કેવી રીતે મેળવશો, તમે પોતાના દિલમાં દગો તો રાખો છો પરંતુ જરા પણ ડરતા નથી.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૨૭)


