અસહાબે કહફની મૂર્તિઓ
May 5, 2024અપભાષી ચૂપ થઈ જા
May 5, 2024આ મુનાફિક હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના પેઢીનામામાં અવતાર માનતા હતા એ પણ સૂવર (વરાહ)ના રૂપમાં, તો હઝરત પીર મશાઇખ નૂરનામામાં એક જગ્યા પર આપ (સ.અ.વ.)નું પેઢીનામું બયાન કરીને આ કારસ્તાન પર તેમને ઠપકો આપતાં લખે છે:
“નબી (સ.અ.વ.)નું પેઢીનામું ચાંદની જેમ રોશન છે, પૂર્વ અને પશ્ચિમમાં હરકોઈ જાણે છે,હે મુનાફિક જમાત! તમે કેમ નબી (સ.અ.વ.)ના પેઢીનામામાં ફેરફાર કરીને બીજુ પેઢીનામું બયાન કરો છો, જો તમારી પાસે દલીલ હોય તો લઈ આવો કે કોણે આ પેઢીનામું બતાવ્યું છે, તમે આપ (સ.અ.વ.)ના પેઢીનામામાં દેવ સામેલ કરો છો, જેમને તમે અવતાર કહીને પૂજો છો, તમે સાંભળી લો હું તમારા દેવો વિરુદ્ધ તદબીર કરીશ, તેમની વાસ્તવિકતા જાહેર કરીશ અને તેમને અપમાનિત કરીશ, મને અલ્લાહ તઆલાએ તમારા માટે પેદા કર્યો છે, જેવી રીતે કે કિતાબમાં આવ્યું છે કે જ્યાં ફિરઓન હશે ત્યાં મૂસા તેમની બરબાદી માટે આવશે, તો તમે આ જમાનાના ફિરઓન છો અને હું સાચા માર્ગનો હાદી (માર્ગદર્શક) છું, જ્યારે કોઈ મોમિન સીધા રસ્તે આવી જશે તો તમે ખુલ્લંખુલ્લા બેઆબરૂ થશો, હે અલ્લાહ! આપ મારી આ ઉમેદ પૂરી કરો.”
(નૂરનામા,બયાન:૧૧૨,શેર:૯થી અંત સુધી)


તમે દેવોને કેમ આપ (સ.અ.વ.)ના પેઢીનામામાં સામેલ કરો છો, તે અવતારોને સૂવર (વરાહ) કહો છો એટલે કે તમે સૂવરને બાપ ગણો છો અને અવતારને તેના સંતાન માનો છો, તમને આવું કોણે સમજાવ્યું છે? તેનું નામ બતાવો, શું તે મુસલમાન છે કે કાફિર? જો તારી પાસે આનો સાચો જવાબ નથી તો તું જૂઠો છે, તમે કેમ અંતિમ નબીનું સંમાન કરતા નથી? જુઓ, આ સૂવરના બચ્ચાં તો કેવળ હિંદુસ્તાનમાં જ હોય છે, અરબ, શામ અને રોમમાં નથી હોતાં અને દરેક જગ્યાએ લોકો નબી (સ.અ.વ.)થી આદમ (અ.સ.)ની વાતો જાણે છે જવાબ આપો આ પેઢીનામામાં અવતાર ક્યાંથી આવી ગયા?”
(નૂરનામા,બયાન:૧૨૩)


આપ (સ.અ.વ.)ની પેઢીમાં નજીકનાં નામ બધા જાણે છે એટલા માટે તમે એમાં ફેરફાર નથી કરી શકતા તો દૂરના નામોમાં ફેરફાર કરીને દેવ અને અવતારને ભેળવી દો છો.
(નૂરનામા,બયાન:૧૨૧,શેર:૧૭,૧૮)

જ્યારે અલ્લાહના નબી (સ.અ.વ.) એકલા અલ્લાહ સમક્ષ મેઅરાજમાં તશરીફ લઈ ગયા તો આપ (સ.અ.વ.)એ મેઅરાજમાં કુદરતના જે અજાયબનું નિરીક્ષણ કર્યું હતું હઝરત પીર મશાઇખ (રહ.) મેઅરાજનામામાં તેનો ઉલ્લેખ કર્યા પછી મુનાફિકોને તૌહીદનું આમંત્રણ આપતાં લખે છે:
“હે મુનાફિકો! અલ્લાહની કુદરત જુઓ, તે એવો મહાન સર્જનહાર છે જે તમારા ખુદાઓને મારે છે તમે જે સૂવરનાં બચ્ચાંને (પૂજો છો તેમને) છોડીને રબને જાણો અને તેની સમક્ષ તોબા કરો.”
(મેઅરાજનામા,બયાન:૧૨૧,શેર:૧૬,૧૭)

આ જ મેઅરાજનામામાં બીજી જગ્યાએ હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે:
“એ મુનાફિકો! જુઓ, રબ કેવો સત્તાર (ગુપ્ત રાખનાર) છે, તમારા પર ફિટકાર છે, તમે સર્જનહારને ભૂલી ગયા છો, તમે જેને પૂજો છો તે એ લાયક નથી કે કોઈને જિંદગી આપી શકે, તે પોતે ભૂખ્યો નથી રહી શકતો તો બીજા લોકોને કેવી રીતે રોજી આપી શકે છે, ગામડિયોના ખાતિર (દિલ)માં આટલી વાત કેમ નથી આવતી, જુઓ, તમે જેમને પૂજો છો તેમને પોતાને કોઈ સંતાન નથી અને દુનિયાથી નિઃસંતાન ગયા તો ગામડિયો! તે કેવી રીતે તમારી નસલ વધારી શકે છે અને સંતાન આપી શકે છે, શ્રેષ્ઠ એ છે કે તમે તોબા કરો અને અલ્લાહને ઓળખી લો.”
(મેઅરાજનામા,બયાન:૧૩૦,શેર:૧૩,૧૮)

પછી એક જગ્યાએ નસીહત કરતાં હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે કે “આ તો આપણી કિસ્મત છે કે આપણને એવો જમાનો મળ્યો કે જે અંતિમ નબીના રાજનો જમાનો કહેવાય છે, અરે મુનાફિક! તારા પર ફિટકાર છે, આ તારી કેવી ગફલત છે તું આંખો ખોલ, આ અજીબોગરીબ રોશની તને કેમ દેખાતી નથી? તું આવા નબીનો ઉમ્મતી બની જા.”
(મેઅરાજનામા,બયાન:૧૪૭,શેર:૧૧,૧૨)

