સ્વપ્ન દ્વારા ખુશખબરો
March 28, 2024જ્ઞાન (ઇલ્મ) પ્રાપ્તિ
March 29, 2024લગભગ તે સમયની વાત છે જ્યારે હઝરત પીર મશાઇખ (રહ.) ધાર્મિક શિક્ષણ પ્રાપ્તિમાં લાગ્યા નહતા અને શિક્ષણક્ષેત્રે પરિપક્વ થયા નહતા, આપ કોમની દુર્દશાને જોઈ વ્યથા અનુભવતા હતા, કોઈ એવો વસીલો હાથ લાગ્યો નહીં જેના વડે ગુમરાહ કોમને સીધો માર્ગ બતાવી શકે તો અંતિમકાર દીને મુહમ્મદીના રક્ષણ માટે નાછૂટકે આપે જૂઠનો સહારો પણ લીધો જેથી કરીને લોકો સીધા માર્ગે આવી જાય પછી જ્યારે આપે તાલીમ મેળવી તો એહસાસ થયો કે મેં ખોટો માર્ગ લીધો છે તરત જ આપ જાહેર તોબા કરે છે અને અલ્લાહ સમક્ષ બેહદ આજીજીપૂર્વક દુઆ કરતાં લખે છે:
“હે અલ્લાહ ! તું મારા પર કૃપા કર અને મને નેક બંદોમાં સામેલ ફરમાવી દે જેથી હું અંતિમ નબીનો સારો ઉમ્મતી કહેવાઉં અને તેમના માટે કાર્ય કરું એવી તૌફીક આપ, મારી અપેક્ષા પૂર્ણ કર, મારી દુઆ કબૂલ કર, મુહમ્મદ (સ.અ.વ.)ના ધર્મ વાસ્તે મારી શરમ રાખ, હે મારા સર્જનહાર ! મુહમ્મદ (સ.અ.વ(. મારા પયગંબર છે, મેં આપના દીન ખાતર અતિશય જૂઠનો આશરો લીધો છે, તારા બંદાઓને દગો દીધો છે, આ બધું મેં નબીના દીન માટે કર્યું હતું, જ્યારે મેં પૂરા કાફલાને ડૂબતો જોયો તો દીનનો આશરો લઈને ખૂબ જૂઠ બોલ્યો હતો અને દગો દેવામાં પણ કંઈ કસર રાખી નહોતી, આપના માટે આ વાત ગુપ્ત નથી માટે તેને સ્પષ્ટ રીતે વર્ણવતો નથી. હે ક્ષમાશીલ! તું જ મારો સર્જનહાર છે, હું તારો ગુનેગાર બંદો છું, હે માફી આપનાર ખુદા! તારી કૃપા ચાહું છું, હે માલિક! તારા ન્યાય મુજબ તો મુક્તિ નથી મળી શકતી પરંતુ મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ના દીન ખાતર મારા ગુના માફ કરી દે, તું મારી તમન્ના પૂરી કર, ડૂબતા કાફલાને કાંઠે પહોંચાડી દે, તું એમને સંપૂર્ણ હિદાયત આપ અને પોતાના વિશેષ બંદોમાં સામેલ ફરમાવી દે, હે ખુદા! તારી કૃપાથી મેં શક્ય તેટલી મહેનત કરી, તેઓ તારા બંદાઓ છે અને તું એમનો મહબૂબ છે, તું એમને હિદાયત આપ, મારી પાસે કોઈ રસ્તો નથી પરંતુ આપની સહાયતાથી જે થશે તેને અશક્ય પણ નથી સમજતો, એટલી અપેક્ષા રાખું છું કે આ દીવાન પૂર્ણ થઈ જાય અને જે પણ તેને સાંભળે તેને ઈમાન નસીબ થાય, તેમાં ઇલ્મ તથા સૂફીવાદ સિવાય કોઈ વાત ન આવી જાય, મશાઇખના સૂફીસંતો સિવાય કોઈ વાત ન લખાઈ જાય, તું પોતાની કૃપાથી મને પીરી-મુરીદીનો સૂફીવાદી માર્ગ અર્પણ કર, જે માર્ગ ઉદ્દેશીને દીવાન પૂર્ણ થાય તેના વગર બીજા કોઈ માર્ગથી બચાવ.”
(નૂરનામા, બયાન:- (૩૫)


