સખત અજમાયશનો સામનો
April 3, 2024શું ગુર્જરી ભાષામાં દીનની વાતો લખવી બિદઅત છે ?
April 3, 2024“હું ઈર્ષાળુ લોકોની ઈર્ષાથી પરેશાન થઈને ઔરંગઝેબ બાદશાહને મળવા દખ્ખણ ગયો હતો અને ઈર્ષાળુ લોકો તરફથી મને ઘણી તકલીફો પહોંચી હતી તે કારણસર દિલ બહુ પરેશાન હતું અને ત્યાં એક જરૂરી કામ પણ હતું અને મને બીજી પણ આશા હતી, બીજાપુર પાસે એક સોલાપુર ગામ છે, ત્યાં હું લશ્કરને જઈ મળ્યો, બીજા દિવસે તે લશ્કર બીજાપુર ફતેહ કરવા માટે રવાના થઈ ગયું બાદશાહ પણ તેમની સાથે ત્યાં ગયો હતો, તો હું પણ લશ્કર સાથે રવાના થઈ ગયો અને બીજાપુર તેમની સાથે બાદશાહના લશ્કરમાં રહ્યો, ત્યાં અમુક લોકોની મોઢે ફકીરની પ્રશંસા સાંભળી કે અલ્લાહે તેમની વાણીમાં તાસીર રાખી છે અને એવું પણ સાંભળ્યું કે તેઓ જે કહે છે એ થઈ જાય છે, તો બાદશાહના અમુક લશ્કરી ફકીરને પૂછવા માટે આવતા અને તેમની સાથે વાતો કરતા અને ફતેહની ખુશખબર ચાહતા હતા, પરંતુ ફકીરે ખુશખબર છુપી ન રાખી (છુપાવવા ચાહતા નહોતા પરંતુ બતાવવા પણ ઇચ્છતા નહોતા) માટે તેઓ ચૂપ રહેતા પરંતુ ફતેહની દુઆ માંગતા હતા અને હંમેશાં હૃદયથી આ ખુશખબર ચાહતા હતા.”
(મોજિઝાત,બયાન:૧૪૭/૭૬૭)

“બીજાપુર કિલ્લા પાસે ભારે જંગ થઈ તો ફકીરને ફતેહની ખુશખબર મળી ફકીરે આ ખબર બધાને સંભળાવી અને જે પણ જાસૂસ પૂછતો તેને બતાવતા હતા, તેમણે બતાવ્યું કે થોડા જ દિવસોમાં ઔરંગઝેબ બાદશાહને ફતેહ મળશે જે જાસૂસ તેમની વાત સાંભળવા આવતા હતા તેમણે બાદશાહ સુધી ખબર પહોંચાડી દીધી, તો ફકીરે જે વચન આપ્યું હતું તે પ્રમાણે બાદશાહે જોઈ લીધું કે ચાર ઝી કા’દા ૧૦૯૮ હિજરીના રોજ કિલ્લો ફતેહ થઈ ગયો અને બીજાપુરના બાદશાહ સિકંદરને ઔરંગઝેબે કેદ કરી લીધો તો ફકીરે લશ્કરમાં દરેક જગ્યા ખ્યાતિ મેળવી લીધી, અને લશ્કરી મોટી સંખ્યામાં તેમની પાસે આવવા લાગ્યા, હવે તેમના (ફકીરના) દુશ્મનોને ચિંતા થવા લાગી અને તે સાવધ થઈ ગયા કે ઔરંગઝેબ બાદશાહે મોટી ફતેહ મેળવી લીધી અને ફકીરની દુઆથી આ ખબર સાંભળી, આવો કોઈ ફકીર પહેલાં સાંભળ્યો નહતો.”
(મોજિઝાત,બયાન:૧૪૮/૭૬૮)

“એ જ ઝી કા’દાના મહિનામાં ફકીરને ફરી ખુશખબરની આશા બંધાઈ, તો ચોવીસ ઝી કા’દા ૧૦૯૮ હિજરીના રોજ આ ખુશખબર સંભળાવી કે ભાગનગર શહેરની ફતેહ ઔરંગઝેબ બાદશાહના હિસ્સામાં આવી છે, બીજાપુરની ફતેહના વીસ દિવસ પછી આ ખુશખબર મળી હતી, ફકીરે સવારે આ ખબર ફોજીઓને સંભળાવી, તે સમયે ભાગનગરની જંગ વિશે કોઈને કશી ખબર નહોતી જ્યારે તે ફકીરે આ વાત કહી તો બધાને આશ્ચર્ય થયું થોડા દિવસો પછી બાદશાહ કૂચ કરી સોલાપુરમાં આવી ઠેર્યા, થોડા દિવસો પછી બાદશાહે મશ્વરો કર્યો અને ભાગનગરની જંગ વિશે બાદશાહ વિચારવા લાગ્યો તો ફોજીઓને આ જંગની વાત યાદ આવી ગઈ અને બહુ ખુશ થઈ ગયા, તેમણે બાદશાહને ફકીરની આ વાત વિશે બતાવ્યું.”
(મોજિઝાત,બયાન:૧૪૯/૭૬૯)

“તો ફોજીઓએ કહ્યું કે ચોવીસ તારીખના રોજ ફકીરે આ વાત કહી હતી પરંતુ અમને તેનો ખ્યાલ નહોતો અને અમને વિશ્વાસ જ નહોતો કે કોઈને આ જંગનો વહેમ પણ નથી અને ફકીર તેનાથી અજાણ થઈને કહે છે, પરંતુ હવે અમને તેમની વાત સાચી જણાઈ જે એમણે ચોવીસમી રાત્રે કહી હતી જ્યારે બાદશાહને આ ખબર માલુમ પડી તો તેને ફકીરના સન્માનનો અંદાજો થયો તો તેણે તપાસ કરવા માટે જાસૂસ મોકલ્યા કે ફકીરે આ ખુશખબર કેવી રીતે આપી અને તે સમયે ફોજીઓએ આવીને ફતેહ વિશે પૂછ્યું તો ફકીરે કહ્યું કે બાદશાહ ભાગનગર જશે અને ગોલકોંડાના અબુલ-હસન સાથે જંગ લડશે અને અબુલ-હસન પણ સિકંદરની જેમ હારી જશે અને તે આવીને ઔરંગઝેબ બાદશાહને મળશે, જ્યારે ફકીરે ખુશખબર આપી તો જાસૂસોએ ઔરંગઝેબ બાદશાહને જઈને બતાવી દીધી.”
(મોજિઝાત,બયાન:૧૫૦/૭૭૦)

“આ જંગની વાત સંપૂર્ણ લશ્કરમાં ફેલાઈ ગઈ, હરકોઈ તેનાથી વાકેફ થઈ ગયું, બાદશાહે તરત જ કૂચ કરવાનો આદેશ આપ્યો, લશ્કરે સામાન તૈયાર કર્યો અને જાતજાતની વાતો થવા લાગી, જેટલાં મુખ એટલી વાતો, કોઈ કહેતું કે દાનાશાહ નાસી ગયો, કોઈ કહેતું કે તે કિલ્લામાં હાજર છે, કોઈ કહેતું કે સામે આવીને જંગ કરશે અને કોઈ કહેતું કે તે કિલ્લામાં બંધ રહીને જંગ કરશે, આ પ્રમાણે રાતદિવસ દરેક મુખે નવી નવી વાતો સાંભળવા મળતી અને જાસૂસ આવીને લશ્કરમાં ચર્ચિત વાતો વિશે ફકીરને બતાવતા હતા કે જોઈએ ફકીરની વાત બદલાય છે કે નહીં, પરંતુ ફકીરના મોઢે તો એક જ વાત હતી કે દાનાશાહ કિલ્લામાં બંધ થઈને લડશે અને બાદમાં આવી મળશે, આવી જ વાતો કરતો હતો, તેમાં સહેજ ફેરફાર કરતો નહોતો, બાદશાહને ખબરો મળી રહી હતી કે ફકીર તો એક જ જેવી વાતો બોલી રહ્યો છે, પછી જ્યારે બાદશાહ ભાગનગર પહોંચ્યો તો દાનાશાહ કિલ્લામાં બંધ થઈ ગયો અને ફકીરે જે કહ્યું હતું એ પ્રમાણે જ થયું કે બાદશાહે ગોલકોંડાનો ઘેરાવ કરી લીધો, અબુલ-હસન દાનાશાહ ભાગી ન શક્યો અને કિલ્લામાં બંધ થઈ જંગનો સામાન તૈયાર કર્યો, હવે તમામ લશ્કરે ફકીરની ખુબીનો એકરાર કર્યો.”
(મોજિઝાત,બયાન:૧૫૧/૭૭૧)

“પાંચ સાત દિવસ લડાઈ ચાલુ રહી અને લશ્કરના મહાન સરદાર માર્યા ગયા, ત્યારે લશ્કરમાં દહેશત ફેલાઈ ગઈ અને ફોજી બેકરાર થઈ ગયા, જ્યારે વધુ લડાઈ થઈ તો લોકો ફકીરથી આંખો ચોરવા લાગ્યા, હવે ફકીરને ચિંતા થવા લાગી, તેઓ લોકોમાં (ફતેહના) જામીન બની ગયા અને લોકોને દિલાસો આપવા લાગ્યા અને ફતેહની બહુ ખુશખબર આપવા લાગ્યા, હવે તેમને શરમ પણ આવવા લાગી હતી તેથી તેઓ દુઆ માંગવા લાગ્યા કે હે મારા માલિક! તું મારી આબરૂ જાળવી લે અને મારી વાત સાચી સિદ્ધ કરી દે, અંતિમ નબીનો વસીલો આપું છું, આવી રીતે ફકીરે આજીજી કરી તો ફરી પાછી તેમને પહેલાં જેવી જ ખુશખબર મળી, પછી ફકીરે જાસૂસોને ખૂબ દિલાસો આપ્યો પરંતુ લડાઈ ઘણા દિવસો સુધી ચાલતી રહી અને તે વર્ષે વરસાદ પણ ખૂબ થયો અને ફોજમાં બહુ તંગી ઉત્પન્ન થઈ ગઈ, ખોજવા છતાં અનાજ મળતો નહોતો અને ભૂખના મારે ઘણા ઘોડા બરબાદ થઈ ગયા અને કિલ્લા-બંધ દુશ્મન જંગમાં બાજી જીતી રહ્યો હતો અને મથુરા તરફથી પણ એક જાટ દુશ્મન ઊભો થયો અને ત્યાં તેમણે ખૂબ તબાહી મચાવી, ત્યારે બાદશાહનું મગજ ઊંધુંચતું થઈ ગયું અને વાપસીનો ઇરાદો કરી દીધો અને એ પણ નક્કી કરી દીધું કે ફલાણી તારીખે પરત ફરવાનું છે.”
(મોજિઝાત,બયાન:૧૫૨/૭૭૨)

“આ સાંભળી ફકીરને ચિંતા થવા લાગી અને તેઓ એકાંતમાં રહેવા લાગ્યા અને અલ્લાહથી દુઆ કરી કે હે ઇલાહી! તું મારી શરમ જાળવી લે અને મારી ખુશખબર સાકાર કરી બતાવ, હે મારા માલિક! આપના મહબૂબની દોસ્તીની લાજ રાખી લે, ફરી તે રાત્રે પાછી ખુશખબર મળી અને આ વખત તો બાદશાહે પણ સપનું જોયું કે તે અને ફકીર બંને ગોલકોંડાના કિલ્લામાં જઈ રહ્યા છે, સવારે આંખ ખુલતાની સાથે ફકીર બહુ ખુશ થઈ ગયા, અને બાદશાહે પણ જાગતાની સાથે તહકીક કરી અને ફકીરને જોઈ તેમનું રૂપ ઓળખી લીધું કે તેઓ કિલ્લામાં જતાં મારી જમણી બાજુ હતા અને બાદશાહે સપનામાં જે ખુશખબર સાંભળી હતી તેનાથી તેને આશ્ચર્ય થયું, સવારે ફકીરે જાસૂસોને આ વાત બતાવી કે કોઈ બાદશાહને કૂચ કરવાથી રોકી લે જેથી તે અહીં રોકાઈ જાય, હવે ફતેહ નજીક જ છે, થોડા જ દિવસોમાં અલ્લાહ તઆલા ફતેહ આપશે અને જો બાદશાહ કુચ કર્યા પછી કિલ્લો ફતેહ કરવા માટે વાપસ પણ આવશે તો ફકીરની લાજ રહેશે નહીં, માટે હે બાદશાહ! થોડા સમય માટે રોકાઈ જાઓ, થોડા જ દિવસોમાં અલ્લાહ તઆલા ફતેહ આપશે અને મથુરાનો દુશ્મન પણ પરાજિત થઈ જશે, હવે વરસાદ પણ વધારે આવશે નહીં જેથી રસ્તા બંધ થઈ જાય, જાસૂસોએ જ્યારે આ વાત બાદશાહને બતાવી તો બાદશાહે પણ તેના વિશે વિચાર્યું.”
(મોજિઝાત,બયાન:૧૫૩/૭૭૩)

“અને બાદશાહે આ વાત સ્વીકારી લીધી અને બાદશાહે પણ સપનું જોયું હતું તેથી તેણે કૂચ મુલતવી કરવાનો આદેશ આપ્યો અને ફરી કિલ્લા પર કબજો કરવાનો આદેશ આપ્યો, ત્યાર પછી વરસાદ પણ ઓછો થઈ ગયો અને રબની અપાર કૃપા થઈ, થોડા દિવસો પછી સાંભળવા મળ્યું કે મથુરાનો દુશ્મન બેબસ થઈ ગયો છે અને સંપૂર્ણ લશ્કરમાં ખુશીની લહેર દોડી ગઈ અને ફોજીઓને શાંતિ વળી ગઈ, હવે બધા ફકીરને ચાહવા લાગ્યા અને ફકીર સાથે અદબપૂર્વક વાત કરવા લાગ્યા, ફકીરે બંદો બનીને આજીજી સાથે અલ્લાહથી દુઆ કરી કે અંતિમ નબીની દોસ્તીના વસીલાથી ઔરંગઝેબ બાદશાહને જલ્દી ફતેહ નસીબ ફરમાવો અને દાનાશાહના દિલમાં દહેશત નાખી દો, હે ખુદા! તું પોતાના કરમથી દુઆ કબૂલ કર, અંતિમ નબીના દીનના પ્રેમમાં અલ્લાહ તઆલાએ દુઆ કબૂલ કરી, અલ્લાહ તઆલાએ દાનાશાહના હૃદયમાં એવી દહેશત નાખી દીધી કે તે કિલ્લો છોડીને ઔરંગઝેબ બાદશાહ પાસે આવી ગયો, જુઓ, જે પ્રમાણે ફકીરે ખુશખબર સંભળાવી હતી તે જ રીતે અલ્લાહ તઆલાએ ફતેહ નસીબ કરી, ઝી કા’દાની ચોવીસમી રાતે ખુશખબર મળી હતી અને છેલ્લી રાતે વિજય પ્રાપ્ત થઈ ગયો અને બાદશાહે ગોલકોંડાનો કિલ્લો કબજે કરી લીધો, દાનાશાહે કિલ્લાથી ઊતરીને બાદશાહ સામે હથિયાર નાખી દીધાં અને બાદશાહે તેને કેદ કરી લીધો.”
(મોજિઝાત,બયાન:૧૫૪/૭૭૪)

આ સફરથી વાપસ આવીને ફરી દીવાનના લેખનમાં મશગૂલ થઈ ગયા, આપે તારીખ સાથે તેનો ઉલ્લેખ કરતાં લખ્યું છે:
“અને ૧૦૯૯ હિજરીમાં મેં ફરી લખવાનું શરૂ કરી દીધું તે સમયે હું ઓગણચાલીસ વર્ષનો હતો અને તે વીસ જમાદિલ અવ્વલનો દિવસ હતો.”
(નૂરનામા,બયાન:૩૪,શેર:૨૨-૨૩)

