મુનાફિક આખિરતને નકારતા હતા
May 6, 2024રઝાઅતી (દૂધના) રિશ્તાનો પણ ખ્યાલ નથી
May 7, 2024અકીદાની ખરાબી સિવાય તે લોકો ન કેવળ બેઅમલી (બેકારી) ને બદઅમલી દુષ્કર્મોના ટેવાયેલા હતા બલ્કે તે નિર્લજ્જ કામ પણ કરતા હતા જેના વિચારથી પણ ઘૃણા અનુભવાવી જોઈએ, હઝરત પીર મશાઇખરહ તેમનામાં શરમનો ભાવ પેદા કરતાં લખે છે:
“તમે પોતાના નબી (સ.અ.વ.)ને જાણો, આપ (સ.અ.વ.) તમામ પયગંબરોના સરદાર છે અને જે નબી (સ.અ.વ.)ના વંશજ છે તેમને સૈયદ કહેવાય છે આ બુઝુર્ગી અને ખૂબીવાળું નામ છે, અરબ લોકો પણ આવું કહે છે.”
“તમે આવી વાતો કેવી રીતે કરો છો, તમને આવું સૈયદપણું ક્યાંથી મળ્યું, તમે કેવી રીતે પોતાને સૈયદ કહો છો? હું તમારી હકીકતથી લોકોને વાકેફ કરીશ, બધા તમને ધિક્કાર પાઠવશે તમે વ્યાજને હલાલ સમજીને ખાઓ છો જોકે આ મહાપાતક છે જેને હલાલ સમજવાથી આદમી કાફિર થઈ જાય છે, તમે શરાબને હલાલ સમજો છો આ પણ કાફિરોનું કામ છે, જો તમે મોટા ગુનાઓને હલાલ સમજો છો તો વાસ્તવમાં તમે કાફિર છો, તમે બાળમૈથુન કરો છો અને છોકરાઓને પ્રેમ કરો છો, આ એવું કાર્ય છે જેના કારણે જમીન ડોલવા લાગે છે અને આકાશને લાજ આવે છે અને પોતાની પત્નીઓ બીજા લોકોના હવાલે કરો છો અને તેનાથી ખુશ થઈ જાઓ છો, એકની પત્ની બીજા પાસે જાય છે અને બધા મળીને પોતાની પત્નીઓ એકઠી કરો છો, જેનું દિલ જેની પાસે જવા માગે છે તે તેની પાસે જાય છે, આ દુષ્કર્મનો ગુનો લખાશે, તમારાં કરતૂતો એવાં છે કે કોળી અને વાઘરી પણ આવું નથી કરતા, આનાથી તેમને પણ શરમ આવે છે અને તમે આ કામ પસંદ કરો છો છતાં પોતાને સૈયદ કહો છો, તમારા મજહબ પર ધિક્કાર છે, કોઈ પણ આવું નથી કરતું કાફિરને પણ શરમ આવે છે, પત્ની પ્રતિ તેને પણ શરમ આવે છે, તેઓ પણ જાહેરમાં ખરાબ કામ કરવું પસંદ નથી કરતા તો તમે કાફિર કરતાં પણ વધારે બદકાર ઠેર્યા.”
(ઈમાન દોમ,બયાન: ૧૯૭૫)



