દીવાને મશાઇખના લેખનની શરૂઆત
April 3, 2024દખ્ખણની યાત્રા
April 3, 2024આપે જે મુશ્કેલીઓ તરફ ઇશારો કર્યો છે સ્વયં તેમની કલમે તેનો સંક્ષિપ્ત અહેવાલ વાંચો.
“સાત શવ્વાલ ૧૦૯૫નો દિવસ હતો તે સમયે મારી ઉંમર પાંત્રીસ વર્ષ હતી તો મારે ભાગ્ય મુજબ એક સખત અજમાયશનો સામનો કરવો પડ્યો જેવી રીતે હઝરત યુસુફની સખત અજમાયશ થઈ તે જ પ્રમાણે મારી સાથે પણ થયું પરંતુ હઝરત યૂસુફને બે એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જેનાથી હું ગ્રસ્ત થયો નહતો કે હઝરત યૂસુફ ઘણાં વર્ષો સુધી કેદ રહ્યા હતા અને આપને વેચવામાં આવ્યા હતા અને મને વેચવામાં આવ્યો નહોતો, બાકી મારે પણ ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી, તેના વિશે લખવાથી કોઈ ફાયદો નથી, બસ આટલું સમજી લો કે હઝરત યૂસુફની જેમ મારે પણ મુશ્કેલીઓ સહન કરવી પડી, તેનાથી બધું જ સમજાઈ જશે, બાકી લખવા ને સાંભળવામાં કોઈ ફાયદો નથી, તે સમયે હઝરત અંતિમ નબી દ્વારા ખુશખબર પણ મળી હતી, તે વાત મેં કોઈ કોઈને બતાવી પણ હતી (તે ખુશ ખબર આ હતી કે મને એક જમીન બતાવવામાં આવી) જેને જોઈને હું ખુશ થઈ ગયો કે અહીં રહેવા માટે હવેલીઓ બનાવશું અને શાંતિથી ઉલ્લાસપૂર્વક ત્યાં બેસીશું તે દરમિયાન એક બીજી ખુશખબર મળી કે આપના જીવનનાં સાત વર્ષ પસાર થઈ જશે ત્યાર પછી તમને સંતોષ મળશે, આ વાત મેં ઘણા લોકોને બતાવી હતી કે સાતમુ વર્ષ ઘણું કઠિન હશે, હું ક્યારેય ભૂલી શકતો નહોતો, જે લોકો પ્રેમથી મારી પાસે આવતા હતા અને જો મને યોગ્ય લાગતું તો હું તેમની સમક્ષ આ વાત રજૂ કરતો હતો, હવે એ બિચારોને યાદ પણ છે કે નહીં.”
(નૂરનામા,બયાન:૩૪,શેર:૧-૧૬)

નોંધ:- સંભાવિત છે કે આમાં હઝરત પીર મશાઇખ (રહ.)ના અવસાન તરફ સંકેત હોય કારણ કે સાત વર્ષ પછી આપે નાશવંત દુનિયાથી રુખસદ લઈ લીધી હતી.
પછી પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ અને ઈર્ષાળુ લોકો તરફથી પરેશાનીઓ એટલી વધી ગઈ કે હઝરત પીર મશાઇખ (રહ.) ઉદાસ રહેવા લાગ્યા તો ઔરંગઝેબ આલમગીરથી મળવા માટે દખ્ખણ તરફ મુસાફરી કરી, આપને તે સિવાય બીજું પણ કામ હતું, તે સમયે આલમગીર દખ્ખણના જંગી સંઘર્ષમાં લીન હતા, આપે આ સફરના દ્રશ્યો અને અલ્લાહના એક વલી (જાહેર રીતે અને પછીના ચરિત્રકારોના ઉલ્લેખ મુજબ આ વલી હઝરત પીર મશાઇખ પોતે જ છે)નો જે અજીબોગરીબ અહેવાલ જોયો હતો તેને ઉલ્લેખતાં લખે છે:
