એ ખુદા! ચારયારોની યારી અર્પણ કર
May 9, 2024હઝરત અબૂબક્ર (ર.અ.)ની ખિલાફત તથા સદ્ગુણ
May 9, 2024હઝરત અબૂબક્ર (ર.અ.) જમહૂર (અધિકતમ) ઉમ્મતની દૃષ્ટિએ અંબિયા પછી સર્વશ્રેષ્ઠ છે અને તમામ સહાબાના સર્વાનુમતે હઝરત અબૂબક્ર (ર.અ.)ને ખલીફા નિયુક્ત કરવામાં આવ્યા હતા કેમ કે નબી (સ.અ.વ.)ની વફાત પછી કોઈ હઝરત અબૂબક્ર (ર.અ.) કરતાં શ્રેષ્ઠ ખિલાફતનું હકદાર નહતું, હઝરત પીર મશાઇખે પોતાની કિતાબ ખુલફાએ રાશિદીનમાં બહુ સરસ રીતે સ્પષ્ટપણે લખી દીધું છે કે આપનો સિદ્ધાંત બલ્કે અકીદો પણ આ જ છે જેથી આપના મુરીદોની સુધારણા પણ થઈ જાય અને કોઈ આપ વિશે ગેરસમજનો ભોગ ન બને અને કોઈ આપ તરફ ગલત વાતની નિસ્બત પણ ન કરી શકે.
હઝરત અબૂબક્ર (ર.અ.)ની ખિલાફત વિશે ભવિષ્યવાણી
હઝરત પીર મશાઇખરહ એક રિવાયત બયાન કરી છે કે હઝરત અબૂબક્ર (ર.અ.)ની ખિલાફત વિશે અલ્લાહના નબી (સ.અ.વ.)એ જ ભવિષ્યવાણી કરી દીધી હતી (તો હવે તેના વિશે કોઈ મતભેદ ન હોવો જોઈએ) આપ લખે છે:
“નબી (સ.અ.વ.)નો એક મોજિઝો આ પણ છે કે આપ (સ.અ.વ.)એ જિહ્વા થકી જે ફરમાવ્યું હતું તે જ પ્રમાણે થયું, એક સ્ત્રી આપ (સ.અ.વ.)ની પાસે આવી અને કંઈક પૂછ્યું આપ (સ.અ.વ.)એ જવાબ પણ આપ્યો અને ફરમાવ્યું કે ફરી પણ આવતા રહેજો તો તેણીએ અરજ કરી કે જો હું આપને ન મેળવું તો હું કોને પૂછું તો આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે સિદ્દીકે અકબર મારા ખલીફા છે, મારા પછી તમે એમને સવાલ કરજો, જુઓ, આપે તેણીને જેવું વચન આપ્યું હતું એ જ પ્રમાણે હઝરત અબૂબક્ર (ર.અ.) ખલીફા બન્યા.”
(મોજિઝાત,બયાન:૧૩૦/૭૫૪,શેર:૧-૮)

