આદરણીય પિતાનું અવસાન
March 28, 2024કોમની સુધારણાનો એક ખોટો પ્રયત્ન
March 28, 2024આદરણીય પિતાના અવસાન પછી હઝરત પીર મશાઇખ (રહ.)ની તાલીમ અને કેળવણીની યોગ્ય વ્યવસ્થા ન થઈ શકી, જેથી આપ સામાન્ય પરંતુ શરીફાના (સંસ્કારપૂર્વક) જીવન પસાર કરી રહ્યા હતા, તે સમયે આપને સ્વપ્ન દ્વારા અલ્લાહ તરફથી એવાં સૂચનો મળી રહ્યા હતાં જેથી સ્પષ્ટ જણાતું હતું કે આપ ભવિષ્યમાં કોઈ ભૂમિકા ભજવશે, ભલે નાનીવયે આપને તેનો એહસાસ નહતો, આપ તે સમયનાં સ્વપનોની ચર્ચા કરતાં લખે છે:
“જ્યારે હું નવ-દસ વર્ષનો હતો ત્યારે મને ઘણી ખુશખબરો મળી હતી તે પૈકી એક આ પ્રમાણે છે કે મેં સપનામાં ભાસ્યું કે કોઈએ મને ખૂબ મીઠાશયુક્ત વસ્તુ આપી જેને હું માંડ-માંડ પેટમાં ઉતારી શક્યો, એક-બે મહિના સુધી મોઢું એટલું બધું મીઠું રહ્યું કે કોઈ મીઠી વસ્તુ સારી લાગતી નહતી અને મારું ગળું પણ અપાર મીઠું રહેતું હતું.”
તે જ સમયની વાત છે કે મેં ઘણી વખત સપનામાં જોયું કે હું પાણી વડે સ્નાન કરી રહ્યો છું અને કોઈ બતાવી રહ્યું છે કે આ તો ઝમઝમનું પાણી છે, આ તો મારા પર અલ્લાહનો કરમ છે.
(મકતૂલનામા દોમ, બયાન:-૨૯૧)

બાલિગ થયા પછી પણ મેં સપનું જોયું જેમાં અલ્લાહના નબીનો દીદાર થયો તે કરમનો હવે એહસાસ થયો, તે સમયે કંઈ સમજાયું નહતું. સપનું એમ હતું કે એક સફેદ દાઢીવાળા વૃદ્ધ સજ્જન મને નજરે પડ્યા, તેમણે મારા મોઢામાં થોડા પાનનાં પાંદડાં નાખ્યાં પછી મને ગળે લગાવ્યો અને પાનનો રંગ મોઢામાં આપ્યો (પાનયુક્ત થૂંક મારા મોઢામાં આપ્યું) મને તે સમયે તેનું રહસ્ય ન સમજાયું પરંતુ હવે તેનો એહસાસ થયો.
હજુ પણ ક્યારેક આવું સપનું આવે છે કે મક્કામાં પાણી વડે સ્નાન કરી રહ્યો છું અને અવાજ આવે છે કે આ ઝમઝમનું પાણી છે પરંતુ કાબા નજર નથી આવતો, હું તો ગુનેગાર બંદો છું છતાં અલ્લાહનો કરમ છે.
(મકતૂલનામા દોમ, બયાન:-૨૯૨)

