અપભાષી ચૂપ થઈ જા
May 5, 2024ભાગ્યના બહાને અમલથી પાછી પાની કરો છો
May 6, 2024આ લોકો જ્યોતિષવિદ્યામાં રુચિ ધરાવતા હતા તેમનામાં ઘણા લોકો એવા હતા જે આ વિદ્યા વિશે જાણકારીનો દાવો કરતા હતા અને ખાસ કરીને તારાઓના પરિભ્રમણ વડે વરસાદ થવા અને ન થવાની જાણકારી આપતા રહેતા હતા, હઝરત પીર મશાઇખ (રહ.) તેમનું ખંડન કરતાં લખે છે:
“એ દીનીભાઈ! તું દીનની વાત સાંભળ અને રબથી ડરતો રેહ, તું એનાથી ગાફેલ ન થા, અલ્લાહની સજા વિશે સાંભળીને પ્રતિદિન ડરતો રેહ અને આ બાબતે ચિંતક રેહ, બેફિકર મત થઈ જા, તું અઝાબથી કેમ નથી ડરતો, રબનું એક નામ કાહિર (પ્રકોપ કરનાર) પણ છે, કયામતના દિવસે આ જલાલી સિફત વધારે પ્રમાણમાં જાહેર થશે, ત્યાં કાં તો જહન્નમનો ફેસલો થશે કાં તો જન્નતનો અને જહન્નમથી તો પૂરી દુનિયા વાકેફ છે, તું કેમ પૂરી દુનિયાથી અલગ રહે છે? (તે જ કર્તાહર્તા છે તેથી ઉમેદ અને ડર તેનાથી જ રાખો, એના સિવાય બીજું કોઈ કશું નથી કરી શકતું) જ્યારે દુષ્કાળ પડે છે તો પૂરી દુનિયા વિલાપે છે જો બીજો કશું કરી શકત તો વરસાદ વરસાવી દત, અરે આવા સમયે પૂરી દુનિયા બેબસ થઈને રબથી વરસાદ માંગે છે, આવી કુદરતવાળો આપણો સર્જનહાર છે, રાતદિવસ તેનાથી ડરવું જોઈએ, તેનો અઝાબ હજુ પણ ઘણો સખત છે, એ ગાફેલ! તું ઘમંડી ન બન અને ગફલતમાં મત પડ અને તું જ્યોતિષી બનીને રબનો ભાગીદાર માને છે અને તે રબનો ડર અને ઉમેદ પોતાના દિલમાં પેદા નથી કરતો, જ્યોતિષીની વાસ્તવિકતા શું છે અમે જાણીએ છીએ, તમે કહો છો કે વરસાદ ચાંદ અને સૂરજના કારણે થાય છે તો સૂરજ અને ચાંદ દરરોજ નીકળે છે, કંઈ છૂપા રહેતા નથી, એ તો એક વર્ષમાં ઘણી વખત નીકળે છે (અને તમારી તિથિઓ તો વર્ષમાં ઘણી વખત આવતી રહે છે) અને તમે આ પણ કહો છો કે સિતારા (નક્ષત્ર)ના કરણે વરસાદ થાય છે કે ફલાણા દિવસે જ્યારે તારો પોતાની જગા છોડી દેશે તો વરસાદ થશે અને ક્યારેક એવું થઈ જાય છે કે તમે જે પ્રમાણે કહો એ પ્રમાણે વરસાદ થઈ જાય છે, કોઈ વર્ષે વરસાદ નથી પણ થતો, તે વર્ષે પણ સિતારોની તે જ હાલત રહે છે, તે એ જ પ્રમાણે પરિભ્રમણ કરતા રહે છે તે છતાં વરસાદ કેમ નથી થતો? એ જ્યોતિષી! તારા માટે જરા પણ બોલવાની તક નથી રહી.” (ઈમાન અવ્વલ, બયાન:૧૭૪૮)



હે જ્યોતિષો! ખુદાથી ડરો, સિતારોના કારણે વરસાદ નથી થતો કેમ કે ખુદાએ વિવિધ પ્રકારના સિતારા બનાવ્યા છે,અમુક સિતારા ગરમ છે અને તે ઘણી જગ્યાએ પરિભ્રમણ કરતા રહે છે અને અમુકને એક જગ્યા પર ઠેરાવ્યા છે અને જ્યારે કોઈ જગ્યાએ ગરમી ઉત્પન્ન થાય છે અને કોઈ સિતારો તે જગ્યાએ આવે છે તો ત્યાં તાસીર પેદા કરે છે, જેવી રીતે લોખંડ પથ્થરથી ટકરાય છે તો અગ્નિકણ ઉત્પન્ન થાય છે તો એ પ્રમાણે અલ્લાહ તઆલાએ તારાઓને એક કારણ બનાવ્યા છે અને હંમેશાં તે તારાઓની રીત આ પ્રમાણે રહે છે કે કોઈ તારો કોઈ બાજુ જાય છે તો ચમક નજર આવે છે અને ત્યાં ગરમી ઉત્પન્ન થાય છે અને અલ્લાહના આદેશ અનુસાર હંમેશાં આવું થાય છે અને કોઈ સિતારો કોઈ જગ્યાએ જાય છે તો એના કારણે (પરિણામ સ્વરૂપે) ઠંડી હવા ઉત્પન્ન થાય છે જે વરસાદનું કારણ બને છે, જેનાથી જાહેરમાં તારાઓની તાસીર અનુભવાય છે, તેનાથી લોકોને બહુ આશ્ચર્ય થાય છે, આવી રીતે કેમ વિચારતા નથી,(એક ઉદાહરણ વડે સમજો) દેડકો જ્યાં હોય છે ત્યાં ઘણું પાણી હોય છે, દેડકાના કારણે જે પાણી નજર આવે છે તેનાથી તળાવ નથી ભરાતું, એ જ પ્રમાણે તારાઓની હાલત છે કે ખુદાએ તેમને વરસાદ માટે સબબ બનાવ્યા છે, અન્યથા દુષ્કાળનો સામનો ન કરવો પડે કારણ કે સિતારા તો હંમેશાં રહે છે.”
(ઈમાન અવ્વલ,બયાન:૧૭૪૯)




હે જ્યોતિષો! મારા એક પ્રશ્નનો જવાબ આપો સિતારા તો હંમેશાં પરિભ્રમણ કરતા રહે છે અને પોતાની ચાલ ચાલતા રહે છે, એક દિવસે કહો છો કે બહુ વરસાદ થશે, જો તારાઓના કારણે વરસાદ થાય છે તો સિતારા તો હંમેશાં એક પ્રમાણે રહે છે એમાં કોઈ ઓછુંવત્તું થતું નથી તો વરસાદમાં કેમ ઓછુંવત્તું થાય છે? તમે શુકનાવળી જોઈને હવા વિશે આગાહી આપો છો કે હવા કઈ બાજુ ચાલશે, વાસ્તવમાં ખુદાએ વિવિધ પ્રકારની હવાઓ બનાવી છે, કોઈ હવામાં અલ્લાહે આ તાસીર રાખી છે કે તે વાદળને તાબે કરી લે છે અને જ્યાં ઇચ્છે લઈ જાય છે એટલા માટે તે હવા ચાલે છે તો વાદળ આવે છે અને અમુક હવાઓ વાદળને દૂર કરી દે છે, અતઃ જ્યારે એક રુખ પ્રમાણે હવા ચાલે છે વરસાદ થાય છે અને બીજા રુખ પ્રમાણે હવા ચાલે છે તો વાદળ વિખેરાઈ જાય છે, આ બધું અલ્લાહ તઆલાનો કુદરતનો ચમત્કાર છે કે આકાશ બિલકુલ સ્વચ્છ હોય છે પછી હવા ચાલે છે અને વાદળ જાહેર થાય છે અને જ્યારે દુષ્કાળ હોય છે તે સમયે હવા નથી ચાલતી અને વાદળ પણ દેખાતાં નથી.”
(ઈમાન અવ્વલ,બયાન:૧૭૫૦)




“માટે, હે જ્યોતિષી! તું અલ્લાહ પર ભરોસો કર, આ જ્યોતિષવિદ્યાને છોડી દે અને જો તું એમ કહે કે અમુક નબીઓને અલ્લાહ તઆલાએ આ મોજિઝો આપ્યો હતો તો એનો જવાબ આ છે કે અંતિમ નબી મુહમ્મદ (સ.અ.વ.)ના આગમન પછી આ વિદ્યા નિષિદ્ધ કરી દેવામાં આવી, હવે આ વિદ્યાની વાતો સાચી નથી નીકળતી, માટે તું અલ્લાહ પર વિશ્વાસ કર અને પોતાની પહેલી રીત છોડી દે અને જો તને અલ્લાહથી પ્રેમ છે તો કેવળ મુહમ્મદ (સ.અ.વ.)નો ઉમ્મતી બની જા.”
(ઈમાન અવ્વલ,બયાન:૧૭૫૧,શેર:૧-૬)

