ભાગ્યના બહાને અમલથી પાછી પાની કરો છો
May 6, 2024મુનાફિકોનો હદીષના બહાને અમલથી છુટકારો
May 6, 2024હઝરત અબુ મૂસા અશ્અરીની હદીષના આધારે આ લોકોને નસીહત કરે છે કે ભાગ્યનો આશરો લઈને અમલથી પાછી પાની મત કરો કે તેના કારણે જહન્નમના હકદાર થઈ જશો બલ્કે આખિરતની તૈયારીમાં મશગૂલ રહો અને અમલ કરતાં રહો, હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે:
“હઝરત અબુ મૂસા અશ્અરી રિવાયત કરે છે કે અલ્લાહના નબી (સ.અ.વ.) એક વખત અમારા વચ્ચે ઊભા થયા અને આપ (સ.અ.વ.)એ તે સમયે પાંચ વાતો બયાન ફારમાવી કે અલ્લાહ તઆલા ન તો સુવે છે ન તેમને ઊંઘ આવે છે, અલ્લાહ તઆલા જેને ચાહે અધિકતમ રોજીથી નવાજે છે અને જેના માટે ચાહે છે રોજીમાં તંગી પેદા કરે છે બંદો જે અમલ રાત્રે કરે છે દીવસ થવા પહેલાં ફરિશ્તા તેને અલ્લાહના દરબારમાં લઈ જાય છે અને દીવસનાં અમલ રાત થવા પહેલાં પહોંચાડી દે છે.”
(ઈમાન દોમ,બયાન:૪૨/૧૮૬૨)


“હે ભ્રમજ્ઞાની! સાંભળો તમે પોતાની ખોટી માન્યતાઓથી તોબા કરો, તમારી આ વિચારધારા તમારા માટે ફાયદાકારક નથી કે તમે જન્નતની તલબ માટે નસીબ પર ભરોસો કર્યો છે પરંતુ નેક અમલ નથી કરતા અને શારીરિક ખુશાલીના આશાવાદી છો પરંતુ દીની આદેશોનું પાલન નથી કરતા અને બહસ કરો છો અને કહો છો કે નસીબમાં જે લખ્યું છે એ મને પહોંચીને રહેશે અને જન્નતના તલબગાર છો, આ તો આશ્ચર્યની વાત છે, તમારા દિલમાં આ ખ્યાલ કેવી રીતે આવે છે અને તમે અલ્લાહના આદેશ તરફ પણ ધ્યાન નથી આપતા, તમે પોતાના કરતૂતોના કારણે જહન્નમમાં જશો, હરકોઈ પોતાના ભાગ્ય અનુસાર અમલ કરે છે અને મૃત્યુ પામતા જ પોતાના કાયમી ઠેકાણે પહોંચી જશે.”
“હે નાદાન! કેટલું જીવન જીવવાની ઉમેદ છે અને જ્યારે તમે મોતના શિકંજામાં ફસાઈ જશો તો તમારી પાસે અફસોસ અને નિરાશા સિવાય કશું નહીં હોય, આ જ નિષ્ફળતામાં ફસાવવા માટે શેતાન તમારા પાછળ પડ્યો છે અને તમે દીનથી બચવા માટે તેની નસીહતો પર કાન ધરો છો, પરંતુ જેવું મોત આવશે કે તરત જ શેતાન તમારાથી દૂર થઈ જશે અને મૃત્યુ સમયે લોકોને બહેકાવા માટે તેમના દિલોમાં જાતજાતની કુશંકાઓ પેદા કરે છે, વાત એ છે કે જહન્નમ તમારા માટે નક્કી થઈ ગઈ છે, આ નિશાની જાહેર છે અને કોઈ પ્રામાણિક કાર્ય તમારી પાસે નથી.”
(ઈમાન દોમ,બયાન:૪૪/૧૮૬૪,શેર:૭-૧૮)


