ભાગ્યને બહાનું બનાવી તદબીર (અમલ) મત છોડો
May 6, 2024તમારો પ્રમુખ નબી તથા અલ્લાહ દ્વારા નિયુક્ત નથી
May 6, 2024હઝરત પીર મશાઇખ (રહ.) એક હદીષ બયાન કરે છે જેના વડે એમ સમજાય છે કે જે માણસ સાચા દિલથી એવી ગવાહી આપે કે કેવળ અલ્લાહ બંદગીને પાત્ર છે અને મુહમ્મદ (સ.અ.વ.) તેમના પયગંબર છે તો તેના પર જહન્નમ હરામ છે તો આ બાબતે મુનફિકોને આવી હદીષોના બહાને ઇબાદતથી દૂર રહેવા બદલ ઠપકો આપતાં લખે છે:
“હઝરત અનસ (ર.અ.) રિવાયત કરે છે કે અલ્લાહના નબી (સ.અ.વ.) સવાર હતા, હઝરત મુઆઝ (ર.અ.) આપના પાછળ બેઠા હતા, આપે હે મુઆઝ કહીને અવાજ લગાવ્યો તો હઝરત મુઆઝે અરજ કરી લબ્બૈક, આ પ્રમાણે આપ (સ.અ.વ.)એ હઝરત મુઆઝને ત્રણ વખત બોલાવ્યા પછી આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે કોઈ માણસ ગવાહી આપે અને
اشھد ان لا الٰہ الا اللہ و ان محمداً رسول اللہ
(હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ બંદગીને પાત્ર નથી અને મુહમ્મદ(સ.અ.વ.) અલ્લાહના રસૂલ છે) કહે છે અને જેવી રીતે મોં વડે કહે છે એ પ્રમાણે દિલથી પણ યકીન કરે છે તો અલ્લાહ તઆલા તેના પર જહન્નમ હરામ કરી દેશે અને જહન્નમમાં દાખલ કરશે નહીં.”
(ઈમાન અવ્વલ,બયાન:૧૬૯૩)

“અર્થાત્ જે માણસ ગવાહી આપે કે અલ્લાહ તઆલા એક છે, અન્ય કોઈ ઇબાદતના લાયક નથી તેનું યકીન રાખે અને મુહમ્મદ (સ.અ.વ.) અલ્લાહના પયગંબર છે તેવી ગવાહી આપે તો અલ્લાહ તઆલા આગ પર તેને હરામ કરી દેશે, જ્યારે આપે આ કથન વર્ણવ્યું તો હઝરત મુઆઝે અરજ કરી કે જો આપનો આદેશ હોય તો બધા ઈમાનવાળા લોકોને આ ખુશખબર સંભળાવી દઉં તો આપે ફરમાવ્યું કે કોઈને મત કહો, લોકો આના પર ભરોસો કરી લેશે અને ઇબાદતથી બેદરકારી કરશે, આ રીતે આપે હઝરત મુઆઝને રોકી દીધા અને હઝરત મુઆઝ જ્યાં સુધી હયાત રહ્યા કોઈને આ હદીષ નહીં બતાવી અને મૃત્યુ સમયે આ હદીષ ઈમાનવાળા ભાઈઓને સંભળાવી તો હઝરત અનસે હઝરત મુઆઝની બયાન કરેલી હદીષ નકલ કરી.”
(ઈમાન અવ્વલ,બયાન:૧૬૯૪)


“હે દીનના ચોર! તું દીનની વાત સાંભળ, તું કેમ સરળતાનો ઇચ્છુક છે? અને શારીરિક સવલત માટે તું આ હદીષ પર અમલ કરે છે, શું તું આ માર્ગ નથી જાણતો, અરે નબી (સ.અ.વ.)એ તો આને બયાન કરવાની મના કરી છે કે જેને સાંભળીને લોકો ઇબાદત છોડી દેશે, જરા સાંભળ અલ્લાહના પયગંબર (સ.અ.વ.) ઇબાદતને બહુ પસંદ કરતા હતા, બસ પોતાની સરળતા માટે તું અવળાં કાર્યો કરે છે, દુનિયામાં આ પદ્ધતિ છે કે જે કામને લોકો બહુ ચાહે છે તો આવા જ શબ્દોનો ઉપયોગ કરે છે કે આ વાત દિલમાં રાખવી કોઈને કહેવી નહીં, નહીંતર લોકો કામ છોડી દેશે, આ તો સંસારની બોલી છે જેને નાનું બાળક પણ જાણે છે, છતાં તને આ વાત કેમ સમજાતી નથી, તો આ હદીષનો મતલબ પણ એ છે કે અલ્લાહના નબી (સ.અ.વ.) ઇબાદતને બહુ ચાહતા હતા બલ્કે આ હદીષમાં તો ઇબાદતની વધારે તાકીદ છે કે આપે બતાવવાની મનાઈ કરી છે જેથી કોઈ ઇબાદત છોડી ન બેસે, તો હે દીનના ચોર! તારા માટે બોલવાનો કોઈ મોકો નથી રહ્યો, આની બીજી ગવાહી પણ સાંભળી લે, હે દીનના ચોર! સાંભળીશ તો તને ઈમાન નસીબ થશે અને તારું શરીર પાક થશે, એક વખત હઝરત અબુ હુરૈરા (ર.અ.) આપ (સ.અ.વ.)નાં મુબારક પગરખાં લઈ આવી ખુશખબર સંભળાવવા માટે બહાર આવ્યા, રસ્તામાં હઝરત ઉમર (ર.અ.) મળ્યા, પૂછપરછ પછી હઝરત અબુ હુરૈરાએ કારણ બતાવ્યું તો હઝરત ઉમરે તેમની છાતી પર માર્યું અને મુબારક પગરખાં છીનવી લીધાં તો હઝરત અબુ હુરૈરાએ આપ (સ.અ.વ.)ની ખિદમતમાં આવીને રોતાં રોતાં સંપૂર્ણ અહેવાલ સંભળાવ્યો તો આપ (સ.અ.વ.) જ્યારે હકીકતથી વાકેફ થયા તો હઝરત ઉમરના કામને વખાણ્યું અને તેમને કંઈ ન બોલ્યા, ઇબાદતના મહત્ત્વ માટે આ પણ જબરદસ્ત દલીલ છે.”
(ઈમાન અવ્વલ,બયાન:૧૬૯૫)



“બીજી હદીષ પણ આવી દલીલ રજૂ કરે છે અને ગવાહી આપે છે જે તું ક્યારેક જવાબ તરીકે રજૂ કરી શકે છે કે અલ્લાહના નબી (સ.અ.વ.)એ આ ફરમાવ્યું છે, આ હદીષમાં આપે આવું કેમ ફરમાવ્યું? આ હદીષ તો ઇબાદત વિશે નથી બતાવી રહી તો એવી વાત નબી (સ.અ.વ.)એ બતાવી છે તેના ઘણા ઉત્તર છે, પ્રથમ દરજ્જો કલિમએ શહાદતનો છે, તેને દિલથી સાચો માનવો જરૂરી છે ત્યાર પછી ઇબાદત કરશો તો અલ્લાહ કબૂલ ફરમાવશે, જો આવી ગવાહી ન આપી અને તેના વગર ઇબાદત કરી તો તે બેકાર છે, મુનાફિક જે કામ કરે છે તેનું દિલ એ જગ્યા પર નથી હોતું (તેને સાચું નથી માનતો) તો તું મુનાફિક છે તું જેટલી પણ ઇબાદત કરીશ બધી વ્યર્થ છે, હદીષ શરીફનો આ જ મતલબ છે, હવે તું શું જવાબ આપશે, માટે તારા માટે સરસ એ જ છે કે તું ઘૃણાસ્પદ કાર્યો છોડી દે અને જો તું એમ કહે છે કે આ બધી વાતો ક્યાંથી લઈ આવ્યા છો તો તેનો જવાબ આ છે કે ઈમાનના સિત્તેરથી વધારે વિભાગ છે તે પૈકી સર્વશ્રેષ્ઠ કલમો છે, આ આપ (સ.અ.વ.)એ પોતાની પવિત્ર જિહ્વા થકી ફરમાવ્યું છે અને જો સર્વશ્રેષ્ઠ વસ્તુ અને આધાર ન હોય તો ઈમાન બાકી રહી શકતું નથી અને તે મુનાફિક ઠેરશે માટે તારે આ તમાશા છોડી દેવા જોઈએ.”
(ઈમાન અવ્વલ,બયાન:૧૬૯૬)




“હે દીનના ચોર! જો તું દલીલબાજી કરવા માગે છે અને કહે છે કે હદીષમાં તો ઇબાદતનો ઉલ્લેખ નથી નહીંતર તેના સાથોસાથ ઇબાદતનો પણ ઉલ્લેખ હોત તો તેનો જવાબ એમ છે કે અલ્લાહના નબી (સ.અ.વ.)એ પહેલાં ઈમાનની હકીકત સમજાવી છે અને ઇબાદતને ઈમાનનું ઘર બતાવ્યું છે અને ઈમાનની ઇમારત પાંચ સ્તંભો પર ઊભી છે (૧) કલમો (૨) નમાઝ કાયમ કરવી (૩) જકાત અદા કરવી (૪) રમજાનના રોજા અને (૫) બૈતુલ્લાહ જઈ હજ કરવી તો અલ્લાહના નબીએ ઈમાનના ઘરની પાંચ સામગ્રીઓ બતાવી છે તો ઈમાનનું ઘર ઇબાદત છે, હે ચોર! તારા માટે બોલવાનો કોઈ મોકો નથી, માટે તું ચોરી (દીનમાં બેદરકારી)થી તોબા કર તારા માટે આ જ શ્રેષ્ઠ છે.”
“અને જો તું એમ દલીલબાજી કરે છે કે આ પ્રમાણે હુકમ લગાવવાનું કામ મુજતહિદનું છે આપનું કામ નથી તો એનો જવાબ આ છે કે મુજતહિદ ચાર છે અને તેમના જ મસ્લક પ્રચલિત તથા સંકલિત છે અને ચારેય ઇમામોએ ઇબાદત વિશે અહકામ બતાવ્યા છે અને હું તેમની જ વાતો નકલ કરું છું હવે તો આ તકરાર છોડ અને તોબા કર.”
(ઈમાન અવ્વલ,બયાન:૧૬૯૭)




