જાતજાતના ઢોંગ
May 7, 2024કૂતરા કરતાં વધુ ખરાબ અને ઝેરીલો સાપ
May 7, 2024જે જમાતની માન્યતાઓ અને કાર્યો આટલી હદે ગેરઇસ્લામી હોય તેના કુફ્રમાં કોઈ શંકા હોઈ શકે છે અને તેમની જબાને ઈમાન અને ઇસ્લામનો દાવો પણ હતો અને આ ગેરઇસ્લામી કાર્યો પણ કરતા હતા, માટે હઝરત પીર મશાઇખ (રહ.) તેમના પર ઇર્તિદાદ (ધર્મપરિવર્તન)નો હુકમ લાગુ કરે છે પરંતુ શુભેચ્છકની જેમ સમજાવવાના અંદાજમાં આપ લખે છે:
“એ મુનાફિક! તમે જલ્દી સાંભળો તમે કેમ જૂઠ બોલો છો? અને આ રીતે તમે છુટકારો નથી મેળવી શકતા, આ તમે શું વિચારી રાખ્યું છે? પોતાના દિલમાં જૂઠી વાતો ઘડો છો અને એમાં તમે પોતાની ખૂબી સમજો છો તમે જૂઠ બોલીને એકસાથે બે ધર્મ નિભાવવા માંગો છો અને બંને બાજુ જવા ઇચ્છો છો, શું તમારાં દિલ ઓળખતાં નથી? (અથવા પછી તમારા દિલમાં આની હકીકત જાહેર નથી થઈ) તો પછી તમને સારા-નાઠાની સમજ કેવી રીતે હોઈ શકે છે, તમારા દિલને કોઈ એક વાત પર દૃઢતા પ્રાપ્ત નથી, સારા-નાઠાને જાણી લો તો સારું છે, તમને દીનની ચિંતા નથી અને તમે જીદમાં આવીને બેફિકર થઈને ફરતા રહો છો અને પછી આના કારણે તમામ પ્રકારના ગુનાઓમાં વ્યસ્ત થઈ જાઓ છો, આ મારી નસીહત સાંભળી લો, તમે જાણીજોઈને દીનથી ફરી જાઓ છો, જોકે ધર્મપરિવર્તન એવો ગુનો છે જેની સજા મોત છે, હે બદદીન! જો તમે સત્ય મસ્લકને છોડી દેશો તો તમે ચંડાળ (નાસ્તિક અને બદદીન) છો, આ બૂરા કૃત્યનું તમને આ ફળ મળ્યું છે કે તમે બંને તરફ (બંને મજહબ તરફથી કારણ કે તમે બંને સાથે પાખંડભર્યો વ્યવહાર કર્યો છે)થી ગુનાના હકદાર થઈ ગયા છો અને આ કામ તમે હંમેશાં કરતા રહ્યા છો, તમારા આ ગુના ક્યાં સમાશે? તમે પોતાની જીદના કારણે ફિતનો ફેલાવો છો અને ગુનાનાં કામ કરો છો.” (ઈમાન અવ્વલ,બયાન:૧૭૭૨)


