હઝરત અબૂબક્ર (ર.અ.) સાથે પ્રેમ અને દુશ્મનીનું પરિણામ
May 10, 2024સિદ્દીક સમાન કોઈ નથી
May 11, 2024“એ રાફઝી! તું સાંભળ, તને શરમ નથી આવતી, જો તને અલી (ર.અ.) સાથે પ્રેમ છે તો તેમની વાત કેમ કબૂલ કરતો નથી? હઝરત અલી (ર.અ.)એ ખુશીપૂર્વક હઝરત અબૂબક્ર (ર.અ.)ના હાથ પર ખિલાફતની બૈઅત કરી હતી અને એમની ખિલાફત અને સજ્જનતા (બુઝુર્ગી)ની ગવાહી આપી હતી, એ માણસ જૂઠો છે જે હઝરત અબૂબક્ર (ર.અ.)ની ખૂબી અને બુઝુર્ગીનો એકરાર ન કરે, તે આક્ષેપ લગાવનાર અને દગાબાજ છે તો એ રાફઝી! તું કેવી રીતે હઝરત અલીનો અનુયાયી કહેવાય જ્યારે તારાં કરતૂત દુશ્મનો જેવા છે? નહીંતર અનુયાયીની પ્રતિક્રિયા તો એવી હોવી જોઈએ કે તે મતબૂ (અનુસરણીય)ની રીત અપનાવે અને તેની ખિદમત કરે અને જેનાથી મતબૂ નારાજ થાય એવાં કાર્યો પ્રતિ દિલમાં ઘૃણા રાખે તો હઝરત અલી (ર.અ.)એ હઝરત અબૂબક્ર (ર.અ.)ના હાથ પર બૈઅત કરી હતી પરંતુ તું અબૂબક્ર સિદ્દીક (ર.અ.) પ્રતિ દુશ્મની રાખે છે, તું કેટલી હદે ગેરમાર્ગે ચાલે છે.”
(ખુલફાએ રાશિદીન,બયાન:૨૨, શેર: ૧-૨૩)




