તમારો પ્રમુખ નબી તથા અલ્લાહ દ્વારા નિયુક્ત નથી
May 6, 2024દુનિયાની અલ્પકાલીન મોજ માટે આખિરત બરબાદ મત કર
May 6, 2024અને તે નુબુવ્વતના દાવેદાર પ્રમુખને પણ આ હકીકતનો દર્પણ બતાવે છે કે તમે આ વ્યર્થ પ્રયત્ન વડે આ પદ નથી મેળવી શકતા, હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે:
“તું લોકો સાથે દગો કરે છે અને પોતાને નબી કહે છે જોકે અલ્લાહે જે પણ નબી મોકલ્યા તે બચપણથી જ નબી હતા, માના પેટમાંથી દુનિયામાં આગમન સમયથી જ નબી હોતા. હઝરત ઈસાએ પેદા થતાં જ લોકો સાથે વાત કરી કે અલ્લાહે મને મોકલ્યો છે અને હું પયગંબર છું, તમામ પયગંબરો વડે બાળપણમાં જ મોજિઝા જાહેર થતા હતા, તું એમનો ઇતિહાસ સાંભળ અને સાચા નબીને ઓળખ, તે જ પ્રમાણે જ્યારે નબીએ કરીમ (સ.અ.વ.)ના મુબારક અસ્તિત્વનું દુનિયામાં આગમન થયું તો કિસરાના એવાનમાં ભૂકંપ આવી ગયો, જે દરિયા (સાવી)ને કાફિરો પૂજતા હતા તે સુકાઈ ગયો, તે રાત્રે પર્વત તૂટી ગયો, બધા દુશ્મનોએ નબીનું નામ જાણી લીધું, આપ (સ.અ.વ.)ના અન્ય મોજિઝા પણ છે જે કિતાબોમાં વર્ણવેલ છે જેમ કે આપે સાદ આપતાં ચંદ્ર હાજર થઈ ગયો, પ્રાણીઓએ આપ (સ.અ.વ.) સાથે વાત કરી, વૃક્ષ તથા પથ્થરોએ આપ (સ.અ.વ.)નું સન્માન કર્યું અને આપ (સ.અ.વ.)નો મહિમા ગાયો, (અંબિયા) મૃતદેહોને જીવંત કરતા હતા, જમીને તેમની તાબેદારી કરી, નાફરમાનીથી દૂર રહી, એવા મોજિઝા જાહેર થયા જેમના સામે લોકો બેબસ હતા અને જે કામ અંબિયાએ કર્યાં છે તે કોઈ બીજું નથી કરી શકતું, હે દીનના ચોર! તું જવાબ આપ, હે કાફિર અને દુશ્મન! તું પોતાને નબી કેવી રીતે કહી શકે છે? તારી ચાલબાજીઓથી અજાણ લોકોને તું બહેકાવે છે, તેં પોતાને જહન્નમનો હકદાર બનાવી દીધો છે, તેં પોતાના અનુયાયીઓને ગુમરાહ કર્યા છે, કુર્આન પઢીને તારા અનુયાયીઓ તને સવાલ કરે છે કે જે કામ કુર્આનમાં નથી તેવું કામ તું કેમ કરે છે? તો તું જવાબ આપે છે કે આ બધું તૌરાતમાં લખેલું છે અને ક્યારેક ઇંજીલનું નામ લે છે અને ક્યારેક શીયા લોકોની વાતો ચૂંટી ચૂંટીને એકઠી કરે છે અને ઝૈદી મજહબમાંથી પણ અમુક વાતો લે છે, શાફેઈ મજહબની પણ અમુક વાતો એકઠી કરે છે અને જોગીઓ અને સંન્યાસીઓનો માર્ગ પણ અપનાવે છે.”
(ઈમાન દોમ,બયાન: ૧૯૭૮)



