મુનાફિકોનો હદીષના બહાને અમલથી છુટકારો
May 6, 2024ક્યાં નુબુવ્વતનું પવિત્ર પદ અને ક્યાં આ ચાલબાજીઓ
May 6, 2024તે લોકો પોતાના પ્રમુખ વિશે એવી શ્રદ્ધા ધરાવતા હતા કે તે લોકોની શુભેચ્છા તથા તેમને ઉપદેશ આપવા માટે અલ્લાહ દ્વારા નિયુક્ત હોય છે, બીજા શબ્દોમાં કહીએ તો તેમના વિશે નબી હોવાનો ખ્યાલ ધરાવતા હતા, હઝરત પીર મશાઇખ (રહ.) તેને સરળ અંદાજમાં સમજાવે છે:
“તમારા પ્રમુખને આ રસ્તો કોણે બતાવ્યો, તે કોણ છે જેણે તેને આ હુકમ આપ્યો છે? જો તમે એમ કહો છો કે અમારો માર્ગદર્શક અલ્લાહ દ્વારા લોકોને નસીહત કરવા માટે નિયુક્ત છે અને અલ્લાહના આદેશ મુજબ તેણે આ ધર્મ સ્થાપ્યો છે, તો સાંભળો, અલ્લાહના પયગંબરની દુનિયામાં કોઈ નાફરમાની નથી કરતું અને આણે કોને આદેશ આપ્યો અને તેનું પાલન થયું હોય, વૃક્ષ, જમીન, પથ્થર, માછલીઓએ? તથા અન્ય કોઈ પ્રાણીએ આના આદેશનું પાલન કર્યું હોય? અને જો આવું નથી થયું તો ખુદાએ તેને કેવી રીતે મોકલ્યો છે? તું બતાવ કે તમારા પ્રમુખને આ અવળો રસ્તો કોણે બતાવ્યો છે અને જો તું એમ કહે છે કે આ રહસ્ય તેના દિલમાં પ્રકટ થયું છે તો બતાવો કે તેના હૃદયમાં અલ્લાહનું આ રહસ્ય અહકામ સ્વરૂપે કેવી રીતે પ્રકટ થયું? તેને જન્નત અને જહન્નમ વિશે કેવી રીતે માહિતી મળી? અને આ બંને જગાઓ કોને મળશે? તારા પ્રમુખે ગેબની જાણકારી કેવી રીતે મેળવી? અલ્લાહે તેને કોઈ વસ્તુનો આદેશ આપ્યો જ નથી, હે મુનાફિકો! અમે તમને પૂછીએ છીએ, તમે જવાબ આપો, તમે ઉલ્લુ બનીને શું બેઠા છો, તમને દરેક બાજુથી ઘેરી લીધા છે, હવે તમે શું બોલી શકો છો? તમોએ પોતાના પ્રમુખને ખુદાનો ભાગીદાર બનાવ્યો છે, તમે કબરમાં જાઓ, જહન્નમમાં ધકેલી દેવામાં આવશો.”
(ઈમાન દોમ,બયાન:૧૮૯૭,શેર: ૯-૨૦)


