સૂફીવાદ ક્ષેત્રે ખિલાફત પ્રાપ્તિ
March 29, 2024હઝરત પીર મશાઇખનો મજહબ તથા મસ્લક (પંથ)
March 29, 2024હઝરત પીર મશાઇખ (રહ.)એ એક ઈશ્વરભક્ત શેખજાદાથી ખિલાફત પ્રાપ્ત કરી અને એમણે શેખ તાજુસ્સાલેહથી, એમણે શેખ તાજુદ્દીન ઇબ્રાહીમથી, એમણે પોતાના વાલિદ શેખ ઇબ્રાહીમથી, એમણે પોતાના વાલિદ શેખ મુહમ્મદથી, એમણે પોતાના વાલિદ શેખ અહમદથી, એમણે પોતાના વાલિદ શેખ હારૂનથી, એમણે પોતાના ભાઈ શેખ મુહમ્મદ યૂસુફથી, એમણે પોતાના વાલિદ શેખ મનસૂરથી, એમણે પોતાના વાલિદ શેખ ફાઝિલથી, એમણે પોતાના વાલિદ શેખ મુહમ્મદ સુલેમાનથી, એમણે પોતાના વાલિદ શેખ યૂસુફથી, એમણે પોતાના વાલિદ શેખ બદ્રુદ્દીનથી, એમણે પોતાના વાલિદ શેખ ફરીદુદ્દીન ગંજશકરથી, એમણે મુઈનુદ્દીન મુખ્તારથી, એમણે ખ્વાજા મુઈનુદ્દીન હસન સજઝીથી, એમણે ખ્વાજા મૌજૂદ (મૌદૂદ ચિશ્તી)થી, એમણે પોતાના શેખ ખ્વાજા નાસીરુદ્દીન યૂસુફ ચિશ્તીથી, એમણે પોતાના પીર મુહમ્મદ સમઆનથી, એમણે પોતાના પીર મુમ્શાદ અલવી દીનવરીથી, એમણે પોતાના શેખ ખ્વાજા અબૂ હૂબૈરા બસરીથી, એમણે હુઝૈફા મર્અશીથી, એમણે ખ્વાજા ઇબ્રાહીમ ફુજૈલ બિન અયાજથી (ઇબ્રાહીમ બિન અદહમથી, એમણે ફુજૈલ બિન અયાજથી), એમણે ખ્વાજા હસન બસરી (રહ.)થી, એમણે અમીરુલ મોમિનીન હઝરત અલી કર્રમલ્લાહુ વજ્હહૂથી, આપ ખુલફાએ રાશિદીનમાંથી હતા, આપે સર્વરે કાઇનાત, ખુલાસએ મૌજૂદાત, અહમદ, મુહમ્મદ, મુસ્તફા, અમજદ, મુમજ્જદ, મુજ્તબા, ખાતમુર્રુસુલ (સ.અ.વ.)થી.
(મકતૂલનામા દોમ, બયાન:-૨૯૬-૨૯૯)



