હઝરત પીર મશાઇખ (રહ.)
March 28, 2024મુબારક જન્મ
March 28, 2024હઝરત પીર મશાઇખે પોતાના દીવાનમાં સંક્ષિપ્તપણે કોઈ કોઈ જગ્યાએ પોતાનું જીવનચરિત્ર લખ્યું છે તેનું કારણ વર્ણવતાં વિનયપૂર્વક લખે છે જે આપણા નિષ્ઠાવાન બુઝુર્ગોની પદ્ધતિ રહી છે.
“હું બડાઈ નથી હાંકતો બલ્કે એટલા માટે પોતાની હકીકત અને જીવનચરિત્ર બયાન કરું છું કે આ ગ્રામીણ લોકો મારું મૂલ્યાંકન કરી તેના આધાર પર અંતિમ પયગંબર (સ.અ.વ.)ના દીનનું મૂલ્યાંકન કરે અને ઇસ્લામ અંગીકાર કરી લે અને અલ્લાહ તઆલાએ સુલતાનુલ અંબિયા અંતિમ નબી હઝરત મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) સાથે પ્રેમ-ભાવ રાખવા બદલ મારા પર આ કૃપા ફરમાવી છે, હું તો કેવળ પયગંબર મુહમ્મદ (સ.અ.વ.)નો ઉમ્મતી છું, ખાકી છું ને અલ્લાહનો બંદો છું. આ જ મારી બડાઈ છે.”
(મકતૂલનામા દોમ,બયાન:૨૯૪)

